

દોડતી વખતે ક્યારેય પાણી પીવુ જોઈએ નહી તેનાથી આખા શરીરની હેલ્થ પર અસર થાય છે
ઊભા રહીને પાણી પીવાથી અપચો, કબજિયાતની સમસ્યા ઉદ્દભવે છે
Updated: Mar 25th, 2023
![]() ![]() |
Image Envato |
તા. 25 માર્ચ 2023, શનિવાર
માનવીના શરીરમાં પાણીનુ અતિ મહત્વ રહેલુ છે. આપણા શરીરમાં જો પાણી ઘટી જાય તો અનેક પ્રકારની સમસ્યા ઉદ્ભવી શકે છે. પાણી શરીરના મહત્વનું રાસાયણિક ઘટક છે. આપણા શરીરમાં લગભગ 60 થી 70 ટકા પાણી હોય છે. શરીરના બધા સેલ્સ, ટીસ્યુ અને ઓર્ગનને યોગ્ય રીતે કામ કરવા માટે પાણીની જરુર પડે છે. શરીરમાં પાણી ઘટવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા પેદા થાય છે. એટલે રોજ 2થી 3 લીટર પાણી પીવુ જરુરી છે. પરંતુ ઘણા લોકો ઊભા રહીને પાણી પીવે છે તે ખૂબ જ ખતરનાક છે એવુ માનવામાં આવે છે ઊભા ઊભા પાણી પીવુ જોઈએ નહી. નહી તો તેનાથી નુકસાન થઈ શકે છે.
દોડતી વખતે ક્યારેય પાણી પીવુ જોઈએ નહી તેનાથી આખા શરીરની હેલ્થ પર અસર થાય છે
આ બાબતે ડોક્ટરના અભિપ્રાય પ્રમાણે પ્રમાણે દોડતી વખતે ક્યારેય પાણી પીવુ જોઈએ નહી તેનાથી આખા શરીરની હેલ્થ પર અસર થઈ શકે છે. ઊભા રહીને પાણી પીવાથી કીડની અને લીવરને નુકસાન થઈ શકે છે. અને તેના કારણે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ બેલેન્સ બગડી શકે છે. કીડની શરીરમાં એક ફિલ્ટર તરીકેનુ કામ કરે છે. અને એકવાર જો કીડની કામ કરતી બંધ થઈ જાય તો શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ પેદા થાય છે. આ ઉપરાંત હ્રદય તમજ લંગ્સમાં નુકસાન થઈ શકે છે. આ સાથે વિશેષ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે દોડતી વખતે ક્યારેય પાણી પીવુ જોઈએ નહી તેનાથી આખા શરીરની હેલ્થ પર અસર થઈ શકે છે. આજે લોકો હેલ્થક્લબમા જઈ કસરતો કરતા હોય છે અને પછી તરત પાણી પીતા હોય છે તે હેલ્થને નુકસાન કરે છે.
ઊભા રહીને અથવા સુતા સુતા ક્યારેય પાણી પીવુ જોઈએ નહી.
પહેલુ સુખ તે જાતે નર્યા આ કહેવત પ્રમાણે આપણી હેલ્થ બાબતે આપણે જાગૃત રહેવુ પડશે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ઊભા રહીને અથવા સુતા સુતા ક્યારેય પાણી પીવુ જોઈએ નહી. દરેક લોકોએ પોતાની હેલ્થ માટે હંમેશા બેઠા બેઠા જ પાણી પીવુ જોઈએ. ઊભા રહીને પાણી પીવાથી પાણીના મિનરલ્સ ડાઈજેસ્ટ સિસ્ટમ સુધી બરાબર પહોચતુ નથી. અને તેનાથી અપચો, કબજિયાત અને એસિડ રિફ્લક્સની સમસ્યા થઈ શકે છે. જે લોકો અપચો અથવા એસીડીટીની બીમારીથી પરેશાન હોય તેમના માટે આ ભૂલ ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે.